ઝી બ્યુરો, વડોદરા: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ આજે ઘટતો જોવા મળ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સાવલી એપીએમસી 14 અને દેસર એપીએમસીના 14 સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે અને હવે સંગઠનના 300થી વધુ હોદ્દેદારોએ પણ રાજીનામા આપી દીધા છે. ડેસરના 165 હોદ્દેદારો અને સાવલીના 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.
ડેસર ભાજપ પ્રમુખ નરેન્દ્ર રાઉલજી અને સાવલીના ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ પણ રાજીનામા આપ્યા છે. ભાજપ સમર્થિત સરપંચો પણ રાજીનામા આપવા પહોંચ્યા હતાં. ડેસર તાલુકાના 29માંથી 22 સરપંચોએ રાજીનામા આપ્યા છે.
#BreakingNews #zee24kalak #Gujarat #KetanInamdar રાજીનામા બાદ સાવલી ભાજપમાં ભડકો, ડેસર અને સાવલીના ભાજપ સંગઠનમાં પણ રાજીનામાનો બોમ્બ ફૂટ્યો, 300થી વધુ રાજીનામા, @KetanInamdarMla @BJP4Gujarat @INCGujarat વધુ જાણો https://t.co/urReSPFvEZ
— Zee 24 Kalak (@Zee24Kalak) January 23, 2020
Big Breaking: સાવલી BJPમાં ભડકો, નગરપાલિકાના 23 અને તાલુકા પંચાયતના 17 સભ્યોના રાજીનામા
અત્રે જણાવવાનું કે આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે Zee 24 Kalak સાથેની વાતચીતમાં સૌરભ પટેલે અનેક મહત્વના ખુલાસા કરતા રાજીનામાનું સાચું કારણ પણ સામે આવ્યું છે.
BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી
રાજીનામાનું સાચું કારણ
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે એકાએક રાજીનામું ધરી દેતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ હવે કેતન ઈનામદારને મનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે zee ૨૪ kalakએ એ સત્ય શોધી કાઢ્યું કે આખરે રાજીનામું આપવા પાછળ સાચું કારણ શું છે? ખાસ કરીને સાવલી નગરપાલિકાનું લાઈટ કનેક્શન કપાઈ જતા તેને ફરી શરુ કરવા ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે કેતન ઇનામદારે વાત કરી હતી અને સૌરભ પટેલે નિયમ બતાવ્યા હતા. આખરે બંને વચ્ચે શું વાતચીત થઇ હતી અને રાજીનામાં સુધીની નોબત કેમ આવી તેની આખી વિગતો આ પ્રમાણે છે.
EXCLUSIVE: કેતન ઈનામદારનું કેમ પડ્યું રાજીનામું? હવે સાચું કારણ આવ્યું સામે
કેતન ઈનામદાર: મેં મંત્રી સૌરભ પટેલ જોડે સાવલી નગર પાલિકાની લાઈટ બીલ અંગે વાત કરી હતી.
સૌરભ પટેલ: બે દિવસ પહેલા કેતન ઈનામદારનો ફોન આવ્યો હતો સાવલી પાલિકાની લાઈટ મુદ્દે.
કેતન ઈનામદાર: મેં નગરપાલિકાની લાઈટ ફરી શરુ કરવા સૌરભભાઈને રજૂઆત કરી હતી
સૌરભ પટેલ: બીલ 50 થી 60 લાખ જેટલું હતું એટલે મેં ભરવા કહ્યું હતું.
જુઓ LIVE TV
કેતન ઇનામદાર: મેં નિયમ મુજબ 10% રકમ ભરવાની તૈયારી બતાવી હતી
સૌરભ પટેલ: મેં ચીફ ઓફિસરને બીલ લઈને આવવા કહ્યું હતું
કેતન ઈનામદાર: પાલિકા અગર બાકી નીકળતી રકમના 10% રકમ ભરે તો કનેક્શન ફરી શરુ કરી શકાય
સૌરભ પટેલ: રકમ મોટી હતી એટલે નિયમ મુજબ કાર્યવાહી કરવા અમે તૈયાર હતા.
કેતન ઇનામદારના રાજીનામાં મુદ્દે આ મુખ્ય કારણ હતું અને આના લીધે જ કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું હતું, જોકે બાદમાં સમગ્ર સાવલીના પ્રશ્નોને આગળ ધરીને પોતે રાજીનામું આપ્યાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે